ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા, પહેલાંના જમાનાથી વેપાર ક્ષેત્રે આંતર રાષ્ટ્રીય મહત્વ ધરાવતા ગુજરાત રાજ્યમાં ઉદ્દભવેલી અને ગુજરાતીઓ દ્વારા બોલાતી ભાષાનું નામ છે, ગુજરાતી ભાષા. ગુજરાતી ભાષાને આંતર રાષ્ટ્રીય ફલક પર વર્ગીકરણ પ્રણાલીમાં ઇન્ડો-આર્યન ભાષા સમૂહમાં મૂકવામાં આવે છે. ગુજરાત અને ભારતનાં અન્ય રાજ્યો તથા પાકિસ્તાન ઉપરાંત વિશ્વનાં અનેક દેશોમાં ગુજરાતી ભાષા બોલતા લોકો વસે છે, જેમાં મહદ્ અંશે, અમેરિકા, યુ.કે., કેન્યા તથા દક્ષિણ આફ્રિકા સહિત આફ્રિકાનાં અન્ય દેશો, કેનેડા, ઓસ્ટ્રેલિયા વિગેરેનો સમાવેશ કરી શકાય. ભારતને આઝાદી મળ્યા બાદ ગુજરાત રાજ્યની સ્થાપના ૧ મે, ૧૯૬૦ના રોજ થઇ હતી અને ત્યારથી ગુજરાત રાજ્યની અધિકૃત ભાષા તરિકે ગુજરાતીને સ્વીકારવામાં આવી છે.
સમગ્ર વિશ્વમા ગુજરાતી બોલવાવાળા લોકોની સંખ્યા ૬.૫૫ કરોડ છે અને તેથી તે " સૌથી વધુ બોલાતી માતૃભાષા" ની યાદીમાં ૨૬માં ક્રમે આવે છે. ભારતના "રાષ્ટ્રપિતા" મહાત્મા ગાંધી અને "લોખંડી પુરુષ" સરદાર વલ્લભભાઈ પટેલની પ્રથમ ભાષા ગુજરાતી હતી. બીજા મહાનુભાવો કે જેમની પ્રથમ ભાષા ગુજરાતી છે અથવા હતી તેમા સ્વામી દયાનંદ સરસ્વતી, મોરારજી દેસાઈ, નરસિંહ મહેતા,ધીરુભાઈ અંબાણી, જે.આર.ડી. ટાટા અને "પાકિસ્તાનના રાષ્ટ્રપિતા" મહંમદ અલી ઝીણાનો પણ સમાવેશ થાય છે.
ગુજરાતી સંસ્કૃત ભાષામાંથી વિકસિત થયેલી આધુનિક ઈન્ડો-આર્યન ભાષા છે. પરંપરાગતરીતે ૩ ઐતિહાસિક તબક્કાઓ પ્રમાણે ઈન્ડો-આર્યન ભાષાઓ વચ્ચે ભેદ કરાય છે.
- જૂની ઈન્ડો-આર્યન ભાષા (વેદિક અને શાસ્ત્રિય સંસ્કૃત)
- મધ્યકાળની ઈન્ડો-આર્યન ભાષા (અલગ અલગ પ્રાકૃત અને અપભ્રંશ)
- નવી ઈન્ડો-આર્યન ભાષા (આધુનિક ભાષાઓ જેમ કે હિન્દી, પંજાબી, બંગાળી વગેરે)
ગુજરાતી ભાષાને પ્રચલિત રીતે નીચેના ત્રણ ઐતિહાસિક તબક્કાઓમાં વહેંચવામાં આવે છે
જૂની ગુજરાતી(ઈ.સ.૧૧૦૦-૧૫૦૦)
તેને "ગુજરાતી ભાખા" અથવા "ગુર્જર અપભ્રંશ" પણ કહેવામાં આવે છે. આધુનિક ગુજરાતી અને રાજસ્થાની ભાષાની પૂર્વજ એવી આ ભાષા ગુર્જર લોકો (જેઓ એ સમયે પંજાબ, રાજપુતાના, મધ્ય ભારત અને ગુજરાતના વિવિધ ભાગોમાં રહેતા હતા અને રાજ કરતા હતા) બોલતા હતા. ૧૨મી સદીમાં જ આ ભાષા સાહિત્યિક ભાષા તરીકે વપરાવા લાગી. આજની જેમ એ સમયે પણ ગુજરાતીમાં ૩ જાતિઓ હતી અને ૧૩મી સદીની આસપાસ તેનું પ્રમાણિત સ્વરૂપ વિકસિત થવા લાગ્યું. સામાન્ય રીતે જૂની ગુજરાતી તરીકે ઓળખાતી આ ભાષાને અમુક વિદ્વાનો જૂની પાશ્ચાત્ય રાજસ્થાની ભાષા કહેવાનું પસંદ કરે છે, કારણ કે ગુજરાતી અને રાજસ્થાની ભાષાઓ એ સમયે અલગ અલગ નહોતી.નરસિંહ મહેતા (ઈ.સ.૧૪૧૪-૧૪૮૦) ને પરંપરાગત રીતે આધુનિક ગુજરાતી કવિતાના પિતા માનવામાં આવે છે.
મધ્યકાળની ગુજરાતી(ઈ.સ.૧૫૦૦-૧૮૦૦)
આધુનિક ગુજરાતી(ઈ.સ.૧૮૦૦-અત્યારે)
બીજી થોડી માહિતી
જે ભાષામાં સપના આવે તે આપણી .માતૃભાષા.
ગુજરાતી મોરી મોરી રે… માત્ર એવું ગાણું ગાયા કરવાથી કશું ન વળે. જાગ્રત રહીને સૌએ સાથે મળીને એવો માહોલ રચવો પડશે.
જે દિવશે આપણે આપણી ભાષા માટે ગૌરવ અનુભવશું તે દિવશે ભાષા જીવશે ..જીવાડવી નહી પડે.
ભાષા માત્ર સંપર્કનો સેતુ નથી. ભાષા એક પટારો છે, જેમાં સંસ્કૃતિનો સમગ્ર ખજાનો સચવાઈને રહે છે. સમાજની સભ્યતા, સંસ્કાર અને સંસ્કૃતિની રખેવાળ ભાષા છે. આપણો અમૂલ્ય સાહિત્યનો વારસો ભાષાએ સાચવ્યો છે અને ભાષા પછીની પેઢીને એ વારસો ભાષાની સંદૂકમાં સુરક્ષિત સોંપશે.
જરાતી ભાષા જોખમમાં છે .
છાશ ની જગ્યા કોકાકોલા .અને
ગુજરાતીની જગ્યાએ …અંગ્રેજી
સાત્વિક શું એ આપણે વિચારવાનું છે …..
ભાષા સાથેનો આપણો સંબંધ પરસ્પર છે. આપણે ભાષાને જીવાડશું, માનાં હેતથી માતૃભાષા આપણને જીવાડશે. ભાષા ભૂંસાતી જવાનો ભય બધી ભાષાઓને માથે તલવારની જેમ લટકે છે. યુનેસ્કોનો રિપોર્ટ કહે છે કે 6,700 ભાષાઓ જે અત્યારે બોલાય છે તેમાંથી અડધોઅડધ અદશ્ય થઈ જવાની છે. દર પંદર દિવસે એક ભાષાનું મૃત્યુ થાય છે પણ એ મૃત્યુઘંટ આપણને સંભળાતો નથી.
અંગ્રેજી મહ્ત્વનુ છે પણ સાથે સાથે માતૃભાષા પણ તેટલી જ મહત્વની છે જેમા શંકાને કોઇ સ્થાન જ નથી. અને આપણી ભાષાને જીવંત રાખવાની જવાબદારી પણ આપણી જ છે જો માત્ર આટલી સમજ બધા ગુજરાતીઓમા આવી જાય તોઆપણી ભાષા આપોઆપ જીવંત રહેશે…
માતૃભાષા જો નબળી પડતી હોય તો તેનો પહેલો જવાબદાર તે વાપરતો ગુજરાતી જન છે અને તે સૌ ગુજરાતીને વિનંતી કે લાઇબ્રેરીમાં જાવ અને સારા પુસ્તકો જેવા કે સરસ્વતિચંદ્ર. ગુજરાતનો નાથ કે કલાપીનો કેકારવ કે રવિન્દ્રનાથ ટાગોરની ગીતાંજલી વાંચો અને મોટા થતા બાળકોને ગુર્જર સંસ્કારની સુંદર વાતો સમજાવો. લોકભાષા નબળી પડે છે કારણ કે ગુજરાતી પ્રજા જેટલી રુપિયા કે ડોલરની ભાષા સારી રીતે સમજી શકે છે તેટલી સારી રીતે જન્મજાત માતૃભાષા સમજવાની તસ્દી લેતી નથી તે કદાચ આપણાં સૌનુ દુર્ભાગ્ય છે.
જે ભાષા આપણો શણગાર બની શકે છે- જે ગર્વથી કહે છે “જ્યાં વસે એક ગુજરાતી ત્યાં વસે ગુજરાત ” કહીને ગર્વ લે છે તેમના ગુજરાતમાં જ ગુજરાતી રહેશે કે કેમ નો ભય વ્યક્ત કરે છે.
જે ભાષામાં તમે સ્વપ્ન જોઈ શકો.. જે ભાષામાં તમે મોકળા મને હસી કે રડી શકો તે માતૃભાષાને જાળવો અને માન વધારો.. કમસે કમ તે જ અંગ્રેજો પાસેથી એટલુ તો શીખો કે તેઓ તેમની ભાષામાં આટલા બધા તમારી ભાષાનાં શબ્દો વાપરે છે ખરા? દેશ આઝાદ થયે અર્ધા ઉપર દાયકો ગયો પણ તેમની ભાષાને હજીય જળોની જેમ વળગી રહેલ ગુલામ મનોદશાને ત્યાગો તો ખરા…
વિજય શાહ-
માતૃભાષા આપણી આંખ છે. એને ચશ્માની માફક પહેરવાનું છોડી દ્યો મિત્રો .. ભાષાને તો આંજો નયન માં…
હું એ પણ સમજુ છું કે આભનાં પાણી ને ન રોકી શકાય પણ છત્રી આપણે ધરીને વરસાદથી બચી જઇ શકાય. અને પહેલો સુધારો મારી જાત ઉપર જે જોતા મને મારી ભાષામાં ઉચ્ચાર શુધ્ધી અને લખાણમાં શક્ય તેટલી ભાષા શુધ્ધી લાવવા મથીશ અને આપ મારા સૌ વાચકોને પણ તેમ કરવા વિનંતી.
મળી માતૃભાષા મને માંહ્યલાનું જતન કરવા – ગુણવંત શાહ
માતૃભાષાના રક્ષણ માટે શહીદ થયેલા બહાદુર લોકોનું સ્મારક તમને ઢાંકા સિવાય બીજે જોવા નહીં મળે. પશ્ચિમ પાકિસ્તાનના શાસકો પૂર્વ પાકિસ્તાનના બંગાળી મુસ્લિમો પર ઉર્દૂ લાદવા માગતા હતા ત્યારે જે પ્રચંડ વિરોધ થયો તેમાંથી બાંગ્લાદેશનું સર્જન થયું. અબ્દુલ ગફાર ચૌધરી બાંગ્લાદેશના જાણીતા કટાર લેખક છે. એમણે લખેલી કવિતા સાંભળો :
શું હું એકવીસમી ફેબ્રુઆરી ભૂલી શકું,
જે મારા બંધુઓના ખૂનથી લથબથ હતી ?
શું હું એ ફેબ્રુઆરી મહિનો ભૂલી શકું,
જેણે હજારો માતાઓને પુત્રવિહોણી કરી નાખી ?
શું હું એ ફેબ્રુઆરી મહિનો ભૂલી શકું,
જેણે મારા સોનેરી દેશને લોહીથી રંગી નાખ્યો ?
આજકાલ અબ્દુલ ગફાર ચૌધરી બંગબંધુ શેખ મુજિબુર રહેમાન પર ફિલ્મ બનાવી રહ્યા છે, જેમાં શેખ મુજિબની ભૂમિકા અમિતાભ બચ્ચન નિભાવશે અને દિગ્દર્શન શ્યામ બેનેગલ કરશે. રાહ જોઈએ.
શું હું એકવીસમી ફેબ્રુઆરી ભૂલી શકું,
જે મારા બંધુઓના ખૂનથી લથબથ હતી ?
શું હું એ ફેબ્રુઆરી મહિનો ભૂલી શકું,
જેણે હજારો માતાઓને પુત્રવિહોણી કરી નાખી ?
શું હું એ ફેબ્રુઆરી મહિનો ભૂલી શકું,
જેણે મારા સોનેરી દેશને લોહીથી રંગી નાખ્યો ?
આજકાલ અબ્દુલ ગફાર ચૌધરી બંગબંધુ શેખ મુજિબુર રહેમાન પર ફિલ્મ બનાવી રહ્યા છે, જેમાં શેખ મુજિબની ભૂમિકા અમિતાભ બચ્ચન નિભાવશે અને દિગ્દર્શન શ્યામ બેનેગલ કરશે. રાહ જોઈએ.
લાગણીના પ્રદેશમાંથી બહાર આવીને માતૃભાષા અંગે વિચારવાનું રાખીએ તો પણ કેટલીક હકીકતોની પજવણી શરૂ થશે. સોક્રેટિસની, પ્લેટોની, એરિસ્ટોટલની, ઈસુ ખ્રિસ્તની, આઈન્સ્ટાઈનની અને રોમન કેથલિક પ્રજાના ધર્માચાર્ય પોપ ધ બેનિડિક્ટની માતૃભાષા અંગ્રેજી ન હોય, તોય અંગ્રેજીનું મહત્વ ઓછું નથી. સુરેન્દ્રનગરમાં હર્ષદ ત્રિવેદીએ કહ્યું કે : ‘માતૃભાષા મારી ત્વચા છે અને અન્ય ભાષાઓ વસ્ત્ર છે.’ અંગ્રેજીનો વિરોધ કરનાર મૂર્ખ છે, પરંતુ માતૃભાષાની અવગણના કરનાર મહામૂર્ખ છે. શિક્ષણનું માધ્યમ માતૃભાષા ન હોય એવો કોઈ યુરોપીય દેશ ખરો ? ડેન્માર્કમાં શિક્ષણનું માધ્યમ ડેનિશ છે, સ્વિડનમાં સ્વિડિશ છે, ફિનલેન્ડમાં ફિનિશ છે, ફ્રાન્સમાં ફ્રેન્ચ છે, ઈટલીમાં રોમન છે, પોર્ટુગલમાં પોર્ચુગીઝ છે, સ્પેનમાં સ્પેનિશ છે, ગ્રીસમાં ગ્રીક છે, બ્રિટનમાં અંગ્રેજી છે, જર્મનીમાં જર્મન છે, સ્વિટ્ઝર્લેન્ડમાં સ્વિસ છે અને રશિયામાં રશિયન છે. ચીનમાં ચીની ભાષામાં ભણાવાય છે, જાપાનમાં જાપાની ભાષામાં ભણાવાય છે અને સમગ્ર અરબસ્તાનમાં અરબી ભાષામાં ભણાવાય છે. આઈસલેન્ડની વસ્તી અઢી લાખની છે. તે દેશમાં પણ શિક્ષણનું માધ્યમ અંગ્રેજી નથી,પરંતુ આઈસલેન્ડિક છે. શિક્ષણનું માધ્યમ માતૃભાષા હોય તે અંગેની ચર્ચા પણ અન્ય દેશોમાં ક્યારેય થતી નથી. અંગ્રેજી ભણવું અને અંગ્રેજી દ્વારા ભણવું એ બે સાવ જુદી બાબતો છે. માતૃભાષાની વંદનયાત્રા કાઢવી પડે એ તો આપણે માટે શરમજનક બાબત ગણાય. અન્ય દેશોમાં એવી યાત્રાની કલ્પના પણ ન થઈ શકે. હવે હકીકતોના પ્રદેશમાં એક ચકરાવો મારીએ.
આઈઝેક બાસેવિક સિંગર એક મોટા યહૂદી લેખક છે. એમને નોબેલ પ્રાઈઝ મળ્યું ત્યારે એમને પૂછવામાં આવ્યું : ‘તમે યીડિશ જેવી મરણોન્મુખ ભાષામાં શું કામ લખો છો ?’ જવાબમાં એ લેખકે કહ્યું : ‘મને પાકી ખાતરી છે કે મૃત્યુ પામેલા કરોડો યહૂદીઓ એક દિવસ એમની કબરમાંથી બેઠા થશે અને પ્રશ્ન પૂછશે : યીડિશ ભાષામાં પ્રગટ થયેલી લેટેસ્ટ બૂક કઈ છે ? એ લોકો માટે યીડિશ ભાષા મરી પરવારેલી ભાષા નહીં હોય. મને તો ફક્ત આ એક જ ભાષા બરાબર આવડે છે, જેમાં હું આખો ને આખો ઠલવાઈ શકું. યીડિશ મારી માતૃભાષા છે અને મા ક્યારેય મરતી નથી.’
વાત હજી આગળ ચલાવીએ. જોશ રીઝાલ ફિલિપિન્સના ગાંધી ગણાય છે. સન ૧૮૯૬માં એમને અત્યાચારીઓએ ફાંસીને માંચડે લટકાવી દીધા હતા. ગાંધીજી એમને ‘અહિંસાના મસીહા’ ગણાવ્યા હતા. એમના શબ્દો સાંભળો : ‘જે પોતાની ભાષાને પ્રેમ નથી કરતો, તે ગંધાતી માછલી કરતાંય ખરાબ છે.’ જાણી રાખવા જેવું છે કે ઈંગ્લેન્ડનો રાજા જ્યોર્જ પહેલો અંગ્રેજી બોલી શકતો ન હતો. એ જર્મનીમાં મોટો થયેલો. એ અંગ્રેજી ન ભણ્યો તે ન જ ભણ્યો ! એણે ઈ.સ.૧૭૧૪થી ૧૭૨૭ સુધી અંગ્રેજી જાણ્યા વિના જ ઈંગ્લેન્ડ પર રાજ કર્યું હતું. પોતાની માતૃભાષામાં લખી-બોલી ન શકે એવાં બાળકો એ રાજા જેવાં પ્લાસ્ટિકિયાં કે નાયલોનિયાં બની જાય એવી સંભાવના ઓછી નથી. માતાપિતાથી અળગાં અળગાં અને પરાયાં પરાયાં સંતાનો તમે નથી જોયાં ? ક્યારેક એવાં બાળકો છતે માબાપે ‘અનાથ’ જણાય તો નવાઈ નહીં.
હવે એક નક્કર હકીકત કાન દઈને સાંભળજો. તા.૧૬-૭-૨૦૦૯ને દિવસે હૈદર રિઝવીએ યુનાઈટેડ નેશન્સ ઓર્ગેનાઈઝેશન (યુનો) માટેનો અહેવાલ લખ્યો તેનું મથાળું છે : ‘હજારો વર્ગખંડોમાં માતૃભાષા ગેરહાજર છે.’ અહીં ટૂંકમાં અહેવાલમાં પ્રગટ થયેલા માત્ર બે મુદ્દાઓ જ પ્રસ્તુત છે :
(૧) તાજેતરનાં સંશોધાનો જણાવે છે કે દુનિયાનાં અડધા ભાગનાં બાળકો નિશાળે નથી જતાં કારણ કે નિશાળની ભાષા ઘરે બોલાતી ભાષા કરતાં જુદી છે.
(૨) યુનોના બાલ – અધિકારોની ઘોષણામાં જણાવવામાં આવ્યું છે કે બાળકોને એ જ ભાષામાં ભણાવવાં જોઈએ, જે ભાષામાં ઘરે માતાપિતા, દાદા – દાદી અને ભાઈઓ – બહેનો વાતો કરતાં હોય.
શું આ બધી વાતો અંગ્રેજીનો વિરોધ કરવા માટે લખી છે કે ? ના, ના, ના. એક જ દાખલો પૂરતો છે. ગુજરાત ખાતે ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ના સ્થાનિક તંત્રી હતા તૃષાર ભટ્ટ ચીખલી પાસે આવેલા એંધણ ગામની પ્રાથમિક શાળામાં ગુજરાતી માધ્યમમાં ભણ્યા હતા. માતૃભાષા પરનું પ્રભુત્વ પણ અન્ય ભાષા પરના પ્રભુત્વ માટે ખૂબ જ ઉપકારક થાય છે. સુંદર ત્વચા પર સુંદર વસ્ત્ર જરૂર વધારે શોભે. ત્વચાની માવજત એ ‘વસ્ત્રવિરોધી’ બાબત થોડી છે ?
(૧) તાજેતરનાં સંશોધાનો જણાવે છે કે દુનિયાનાં અડધા ભાગનાં બાળકો નિશાળે નથી જતાં કારણ કે નિશાળની ભાષા ઘરે બોલાતી ભાષા કરતાં જુદી છે.
(૨) યુનોના બાલ – અધિકારોની ઘોષણામાં જણાવવામાં આવ્યું છે કે બાળકોને એ જ ભાષામાં ભણાવવાં જોઈએ, જે ભાષામાં ઘરે માતાપિતા, દાદા – દાદી અને ભાઈઓ – બહેનો વાતો કરતાં હોય.
શું આ બધી વાતો અંગ્રેજીનો વિરોધ કરવા માટે લખી છે કે ? ના, ના, ના. એક જ દાખલો પૂરતો છે. ગુજરાત ખાતે ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ના સ્થાનિક તંત્રી હતા તૃષાર ભટ્ટ ચીખલી પાસે આવેલા એંધણ ગામની પ્રાથમિક શાળામાં ગુજરાતી માધ્યમમાં ભણ્યા હતા. માતૃભાષા પરનું પ્રભુત્વ પણ અન્ય ભાષા પરના પ્રભુત્વ માટે ખૂબ જ ઉપકારક થાય છે. સુંદર ત્વચા પર સુંદર વસ્ત્ર જરૂર વધારે શોભે. ત્વચાની માવજત એ ‘વસ્ત્રવિરોધી’ બાબત થોડી છે ?
માતૃભાષા વંદનયાત્રા રૂડીપેરે પૂરી થઈ. હવે પછી કરવાનું શું ? ગુજરાતમાં ૫૦૦ જેટલી સ્કૂલોમાં પચ્ચીસ સુજ્ઞ નાગરિકો પહોંચી જાય. અંગ્રેજી માધ્યમની નિશાળોમાં જઈને તેઓ આચાર્યને અને ટ્રસ્ટીઓને હાથ જોડીને કહેશે : ‘તમારી શાળામં માતૃભાષાનું માધ્યમ નથી તે અમને ખૂંચે છે. એમાં બાળકોનું ખરું પ્રફુલ્લન થતું નથી. આમ છતાં તમે એક કામ અવશ્ય કરો. બાળકોને ઉત્તમ ગુજરાતી ભણાવો.’ એ જ રીતે પચ્ચીસ સુજ્ઞ નાગરિકો ગુજરાતી માધ્યમની શાળાઓમાં જઈને કહેશેઃ ‘માતૃભાષાના માધ્યમ દ્વારા ભણાવવા બદલ તમને અમારાં અભિનંદન છે, પરંતુ તમારી નિશાળમાં અંગ્રેજી વિષય તરીકે ઉત્તમ રીતે ભણાવાય તેવી ગોઢવણ કરશો.’ આવી કેટલીક નિશાળો સાથે હું સીધા સંપર્કમાં છું. આવી નમૂનારૂપ નિશાળોની સંખ્યા વધે તો ગુજરાતીને વાંધો નહીં આવે. અંગ્રેજી અને ગુજરાતી ભણાવતી આવી ૫૦૦ જેટલી ‘મોડલ સ્કૂલો’ની યાદી તૈયાર થવી જોઈએ. આ ઉકેલ વ્યવહારુ છે. સંશોધન કહે છે : વાંચવાની ઝડપ માતૃભાષામાં જ ખરેખરી વધારી શકાય છે. પ્રથમ ધોરણમાં પરભાષામાં ભણનારા બળકો પર ઘણો વધારે બોજ પડે છે. પરિણામે બંને ભાષામાં ‘રીડિંગ ફલુઅન્સી’ ઘટે છે. આવા વિદ્યાર્થીઓ પછીના ધોરણોમાં પાછળ પડી જાય છે અને નિશાળમાં ભણવાનું પૂરું થાય ત્યારે ‘લગભગ નિરક્ષર’ જેવાં બની રહે છે. આ ‘ન્યુરોલોજિકલ થિયરી ઓફ લર્નિંગ’ છે, જે વૈશ્વિક કક્ષાએ સ્વીકાર પામી ચૂકી છે. બોલો હવે વધારે શું કહેવું ? આ બાબતે થોડાક એવા પ્રબુદ્ધ નાગરિકો, શિક્ષણકારો અને સાહિત્યકારોની જરૂર છે, જે લોકતંત્રને શોભે એવું પ્રેશરગૃપ બની શકે. ગુજરાતની સરકાર પર આવા સમર્થ પ્રેશરગૃપનો પ્રભાવ પડશે, પડશે અને પડશે જ ! વિનંતી નહીં, દબાણ જરૂરી છે.
માણસની માતા એકની એક જ હોય છે. માણસનો માંહ્યલો પણ એકનો એક જ હોય છે. આપણો માંહ્યલો સતત વ્યક્ત થવા તલસે છે. એ માતૃભાષામાં જ ખરેખરો વ્યક્ત થઈ શકે. માતૃભાષા દ્વારા શિક્ષણ પામવું એ બાળકનો મૂળભૂત માનવીય અધિકાર છે. માણસ પોતાના માંહ્યલાની અવગણના કરે, ત્યારે પોતાની જાતને દગો દેતો હોય છે. માતૃભાષા તો આપણા માંહ્યલાની માવજત કરનારી ‘હ્રદયભાષા’ છે. નિરંજન ભગતે કહેલું : ‘સમાજ કવિસૂનો ન હજો અને સંસ્કૃતિ કવિતાસૂની ન હજો.’ આપણે ક્યારે જાગીશું ?
(યુનેસ્કો તરફથી વિશ્વભરમાં જાહેર થયેલા માતૃભાષા દિને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રાંગણમાં યોજાયેલી જાહેરસભામાં આપેલ પ્રવચન, અમદાવાદ, તા.૨૧-૨-૨૦૧૦)

No comments:
Post a Comment