વાર્તાઓ / પ્રેરક પ્રસંગો


(૧) માણસ ની કિંમત … (પ્રેરક પ્રસંગો )…


value of man


તૈમૂરલંગ ખૂબ જ ક્રૂર રાજા હતો અને તેની ક્રૂરતાથી રાજ્યની પ્રજા દુખી હતી.  તે લંગડા, ઠીંગણા, કદરૂપા માણસે ન જાણે કેટલાય દેશો ને નષ્ટ –પષ્ટ કરી દીધા હતા,  કેટલાય  ઘરો- કુટુંબો ને બેઘર કરી દીધા હતા.  આવા કૂર –પાશવી પાસે એક દિવસ બંદીવાન કેદીઓ ને લાવવામાં આવ્યા, જેઓને આજે સજા તે સંભળાવવાનો હતો.  આ કેદીઓ માં તૂર્કિસ્તાન ના પ્રસિદ્ધ કવિ અહમદી પણ હતા.  તેને જ્યારે પકડીને તૈમૂરલંગ પાસે લાવવામાં આવ્યા, ત્યારે તૈમૂરલંગે  બે ગુલામો તરફ અંગૂલી નિર્દેશ દ્વારા અહમદી ને કહ્યું કે મેં સાંભળ્યું છે કે “ કવિ લોકો મોટા પારખું હોય છે. તો સારું, તમે મને કહો કે આ બે ગુલામો ની કિંમત શું છે ? “
“ આ બને માંથી કોઈ પણ ૪૦૦ અશરફી થી ઓછી કિંમત ન નથી. “  અહમદીએ જવાબ આપ્યો… આ સાંભળી તૈમૂરને બહુજ આશ્ચર્ય થયું ! તેણે ફરી પ્રશ્ન કર્યો “  ભાઈ તો મારી શું કિંમત છે ?”
અહમદી સ્પષ્ટ વક્તા અને સ્વાભિમાની હતા. તેણે જવાબ આપ્યો: “તમારી કિંમત ફક્ત ચોવીસ અસરફીઓ જ છે. “   “ શું, મારી ફક્ત ચોવીસ અશરફી જ કિંમત જ છે ? – આશ્ચર્ય સાથે તૈમૂરે કહ્યું, “આટલી કિંમતની તો ફક્ત મારી  કફની જ છે.”
“જી હા, મેં તેની તો કિંમત લગાવી છે.”  – સ્વાભિમાની કવિ એ જવાબ આપ્યો. “ એટલે કે મારી કોઈ જ કિંમત જ નથી ? “  – તૈમૂર એ વળતો ફરી તેને સવાલ કર્યો.
“ જી નહીં, કોઇ જ નથી. જે વ્યક્તિમાં દયા જરા પણ માત્રા માં  ના હોઈ શકે, તમે જ કહો, એવા દુષ્ટને “માણસ”  તરીકે કઈ  રીતે ઓળખાણ આપી શકાય  ? અને આમ છતાં,  તેની કિંમત પણ શું હોઈ શકે ?”
તૈમૂર માટે કરેલી વાત સાચી જ હતી, આમ છતાં તે ચૂપચાપ સાંભળતો રહ્યો.  તે અહમદી ને સજા તો તે આપી શકે તેમ ના હતા, અને જો તે સજા કરે તો અહમદી દ્વારા તેની કિંમત જે કરવામાં આવી હતી તે સાચી છે તેમ સાબિત થાય તેમ હતું, તેણે અહમદી ને “પાગલ” છે તેમ જાહેરકરાર  કર્યો અને છોડી દીધો…
સાર: માણસની કિંમત પૈસા થી નક્કી નથી થતી તેના સ્વભાવ અને કાર્ય થી  નક્કી થાય છે …

(૨) મૃત્યુ … (પ્રેરક પ્રસંગ)



એક સરસ નાનકડી વાત આપની સમક્ષ રજુ કરું છું, રસ દઈને વાંચજો.
એક દિવસ યમદૂ…ત એક માણસનો પ્રાણ હરણ કરવા એના ઘરે આવ્યો, ત્યારે પેલા માણસે કીધુ : હું તારી સાથે આવવા બિલકુલ તૈયાર નથી. 
યમદૂત : પણ તારું નામ મારા લીસ્ટમાં સૌથી ઉપર પેલા નંબરે છે, મારે તને લઈજ જવો પડે એમ છે.
માણસ : તો પછી મારી એક ઈચ્છા પૂરી કરો, તમે મારી સાથે અહી બેસીને થોડુક જમી લો, પછી આપણે બંને સાથે નીકળીએ.
(પેલા માણસે યમદૂતની નજર ચૂકવીને એના જમવામાં નિંદર આવે તેવી ઔષધિઓ ભેળવી દીધી)
જમ્યા પછી યમદૂતને જબરદસ્ત નિંદર આવવા લાગી અને થોડીવારમા તો તે ઘસઘસાટ ઊંઘવા માંડ્યો. એ ઉઠે તેની પહેલા જ ઓલા માણસે યમદુતના લીસ્ટમાંથી પોતાનું પહેલું નામ છેકીને સોથી છેલ્લે લખી દીધું.
થોડીવાર પછી યમદૂત મસ્ત પૈકી સુઈને ઉઠયા પછી ખુશમિજાજ અવાજે પેલા માણસને બોલ્યો : હું તારા પર બહુજ ખુશ છું, તારા ઘરે સ્વાદિષ્ઠ ભોજન લઈને મને પરમ આનંદ થયો અને ખુબજ સરસ નિંદર આવી એટલે હવે હું મારા આ લીસ્ટમાની સૌથી છેલ્લી વ્યક્તિ જે છે એને મારી સાથે સૌથી પેલા લઇ જઈશ!!!!
બોધ : મિત્રો, મૃત્યુને કોઈ નથી અટકાવી શકતું, જે વિધિમાં લખેલું છે, તે થઇને જ રહે છે.



વિધાર્થીઓ માટે એકાગ્રતાનું રહસ્ય …


આપણે ત્યાં અનેક રાજ્યોમાં થોડાં જ સમયમાં એચએસસી બોર્ડની  તેમજ  સ્કૂલ-કોલેજ વિગેરેની ફાઈનલ પરીક્ષાઓ શરૂ થશે, આશા છે કે આજનો લેખ દરેક વિધાર્થીની/ વિધાર્થીઓને તેમના અભ્યાસમાં ઉપયોગી નીવડે તેજ …  શુભકામના સાથે શુભેચ્છાઓ …


student consantration


એકાગ્રતામાં જ સફળતાનું બધું રહસ્ય રહેલું છે, આ વાતને સમજી જનાર ખરેખર બુદ્ધિમાન માણસ છે.  એકાગ્રતા કેવળ યોગીઓ માટે જ આવશ્યક છે, એમ સમજવું એક મોટી ભૂલ છે.  એકાગ્રતા તો પ્રત્યેક વ્યક્તિ માટે આવશ્યક છે, પછી ભલે એ ગમે તે કાર્યમાં રત હોય, એવું જોવા મળે છે કે લુહારો, વાળંદ,સોની, વણકરમાં સહજ રૂપે જ એકાગ્રતા વિકસિત થાય છે.  આ બધામાંથી કોઈ પણ વ્યક્તિ વ્યાખ્યાનો સાંભળીને કે પુસ્તકો વાંચીને એકાગ્રતાનો અભ્યાસ કરતા નથી. એમનાં કાર્યોમાં આવશ્યકતા પ્રમાણે ઉત્પન્ન પરિસ્થિતિઓએ જ એમનામાં એકાગ્રતા વિકસાવી છે. 

વિધાર્થી કેવી રીતે પોતાના મનને અધ્ય્નમાં એકાગ્ર કરી શકે :


૧]     જે રીતે દરેક યોગીને ધ્યાન કરવા માટે એક સ્થિર તથા ઉચિત રૂપનું સુખદ આસન જોઈએ છે તેવી જ રીતે પ્રત્યેક વિધાર્થી પાસે પોતાની ચોપડીઓ કે નોંધપોથીઓ ફેલાવીને સુવિધાપૂર્વક બેસવા માટે સુયોગ્ય ખુરશી – ટેબલ હોવા જોઈએ.  વિધાર્થીઓ અને યોગીઓમાં કેટલીક દ્રષ્ટિએ સમાનતા જોવા મળે છે.  નિર્ધન વિધાર્થીઓ એટલી બધી માત્રામાં ખુરશી-ટેબલની વ્યવસ્થા કેમ કરી શકે, એવો પ્રશ્ન ઊભો ન થવો જોઈએ. વળી એ લોકો આઉં પણ પૂછી નાખે ‘સાહેબશ્રી શું એમ વિશ્વેશ્વરૈયા પાસે એમનાં વિધાર્થી જીવનમાં ખુરશી-ટેબલ હતાં ?  શું તેઓ રસ્તા પરની રોશનીમાં વાંચીને વિશ્વવિખ્યાત વ્યક્તિ નથી બન્યા ?’  આવા તર્ક અહીં કરવાની આવશ્યકતા નથી.  નિશ્ચિતરૂપે રસ્તાની રોશનીમાં વાંચનારાં બધાં બાળકો વિશ્વશ્વરૈયા બની જતાં નથી.  વળી જેમની પાસે ખુરશી-ટેબલ લેવાની શક્તિ ન હોય ઓછામાં ઓછું એક ઢાળિયું ટેબલ રાખી શકે.

૨]     એકવાર લખવા કે વાંચવા માટે બેસી ગયા પછી બિનજરૂરી આપણા શરીરને હલાવવું જોઈએ નહીં.  ઘણા મોટાભાગના વિધાર્થીઓ વાંચતી વખતે કઢંગી રીતે બેસે છે.  વળી કેટલાક એવા છે કે જે વાંચતી વખતે અન્યમનસ્ક બનીને કોઈને કોઈ વસ્તુઓને નિરખીને જોતાં જોતાં પોતાના પેન કે પેન્સિલને ચાવે છે.  જાણે કે તેઓ કોઈ ગહન ચિંતનમાં ન ડૂબી ગયા હોય.  આવી જ બીજી પણ કેટલીય બાહ્ય દેખાવની ટેવો હોય છે.  આ બધી ટેવો એકાગ્રતામાં બાધક નીવડે છે.  જેમ કે હાલતાં વાસણમાં રાખેલું પાણી સ્થિર રહેતું નથી.  તેવી જ રીતે શરીરની બેસવાની મુદ્રાઓ બદલતા રહેવાથી મન પણ ચંચળ થતું રહે છે.  એટલે અધ્યન વખતે એક ઉચિત અને સ્થિર મુદ્રામાં બેસવું ઘણું અગત્યનું છે. 

૩]     અધ્યયન માટે એક જ સમયે, એક જ વિષય લેવો એમ કહેવું યોગ્ય નથી.  જયારે અધ્યયન માટે એક નિર્ધારિત વિષય પસંદ કરી લઈએ, ત્યાર પછી મનને ઓછામાં ઓછું એક કલાક સુધી એ વિષયમાં લીન રાખવું જોઈએ.  કોઈ પુસ્તકને માત્ર વાંચી નાખવાથી અધ્યયન થઇ જતું નથી.  એક પુસ્તકને કેવળ વાંચી વાંચી નાખવું અને તેનું અધ્યયન કરવું, એવાચ્ચે જે અંતર છે એને વિધાર્થીએ અવશ્ય સમજી લેવું જોઈએ.  આ બંને કાર્યમાં એકાગ્રતા તો આવશ્યક છે જ. ઉતાવળથી કોઈ એક પુસ્તકને વાંચીને વાચક એના સાર-સંક્ષેપથી પરિચિત બની શકે છે.  પરંતુ વિસ્તારિત અધ્યયન મનને એ વિષયવસ્તુના ઊંડાણમાં ઊતરીને એના યથાર્થ તાત્પર્યને જાણી લેવા યોગ્ય બનાવી દે છે.  અને ઉતાવળથી કે ઉપરછલ્લી રીતે કરેલું વાંચન આ વસ્તુથી આપણને દૂર રાખે છે.  ઊંડાણથી વાંચવાને પરિણામે વિષયવસ્તુ પર સારી એવી પકડ આવે છે અને ભવિષ્યના અધ્યનમાં પણ સહાયતા મળે છે.

૪]     પહેલાં આપણે બતાવ્યું છે કે એકવાર જ્યારે આપણે અધ્યયન માટે કોઈ વિષય સાથે બેસીએ છીએ તો એને એક કલાક સુધી ચાલુ રાખવું અત્યંત આવશ્યક છે.  સામાન્યત: આપણું મન કોઈ નવા વિષયને એકાએક ગ્રહણ કરી લેવા તૈયાર નથી હોતું.  આખો દિવસ આપણે વિભિન્ન કાર્યોમાં વ્યસ્ત હતા; મિત્રો કે બીજા લોકો સાથે વાતો કરતાં રહેતા અથવા આપણા પોતાના મનમાં કેટલાક વિચાર ચાલી રહ્યા હતા.  એ બધા હવે અધ્યયન આરંભ કર્યા પછી સક્રિય બની જશે.  એટલે અધ્યયન માટે તૈયાર થવામાં મનને પ્રારંભમાં આઠ થી દસ મિનિટનો સમય લાગી જાય છે.  જ્યારે આપણું મન આવા વિષયવસ્તુના ઊંડાણમાં લીન બનતું થાય ત્યારે અચાનક અધ્યયનને રોકી દેવાથી એકાગ્રતામાં ભંગ પડશે અધ્યયન કે વાંચનમાં નુકસાન થશે એટલે જ થોડી મીનીટો પછી જ્યારે મન એકાગ્ર થઇ જાય એ અવસરનો ઉપયોગ વિષયમાં ઊંડાણથી ઉતારીને એને ગંભીર અધ્યયન માટે તૈયાર કરવું જોઈએ.  આવી રીતે મનને ઓછામાં ઓછું એક કલાક સુધી અબાધ રૂપે અધ્યયનમાં લગાડી રાખવું જોઈએ.

૫]     આ અધ્યયન દરમિયાન એવો પણ સંભવ છે કે પરિવારના કોઈ સભ્ય વિનયપૂર્વક કોઈ બીજા કામ માટે બોલાવવા આવે.  એટલે જ ઘરના લોકોને પહેલેથી જ દર્શાવી દેવું જોઈએ કે મહેરબાની કરીને મને એક કલાક સુધી કોઈ ન બોલાવો તો સારું.  એનું કારણ એ છે કે આપણા મનમાં જો કોઈના બોલાવાની સંભાવના રહે તો એ પૂરેપૂરી રીતે અધ્યયનમાં એકાગ્ર ન બની શકે.  અત્યંત આવશ્યક સંજોગો સિવાય અધ્યયન સમયે મોબાઈલ ફોનને દૂર રાખવો જોઈએ.

૬]     હવે વાત આવે છે અવાજના પ્રદુષણની.  ગામડામાં શાંત અને સ્વચ્છ વાતાવરણ વચ્ચે રહેનાર વિધાર્થીઓ આ દ્રષ્ટિએ નસીબદાર કહેવાય.  શેહરમાં રહેનારા અને વિશેષ કરીને રાજધાની જેવાં મોટાં શહેરોમાં રહેનારા વિધાર્થીઓને આ અવાજના પ્રદુષણની સમસ્યાનો સામનો કરવો પડે છે.  આમ જોઈએ તો આ પ્રદુષણ બધાં નાનાં મોટાં શહેરોમાં ભયંકર રીતે ફેલાઈ ગયું છે.  એટલે એને સહન કરવા સિવાય એનો બીજો કોઈ વિકલ્પ દેખાતો નથી.  કોઈ પણ વ્યક્તિ ગમે તેટલો આ સમસ્યાને નજર અંદાજ કરવાનો પ્રયાસ કરે પણ અવાજને વિસ્તારતાં યંત્રો ઘોંઘાટિયો અવાજ કરવા લાગે છે અને આપણા અધ્યયનમાં તરત જ અડચણ આવી જાય છે.  પવિત્ર ગણેશ ચતુર્થીનો સમારોહ કે નવરાત્રી જેવાં કોઈ ધાર્મિક ઉત્સવ આવે એટલે ક્યારેક દિવસોના દિવસો સુધી કે મહિનાઓ સુધી કર્કશધ્વનિ આપણા કાને અથડાયે રાખે છે.  વળી કેટલાંક રાજ્યોમાં રાજ્યોત્સવ આરંભ થતા ઘણા સમય સુધી કોલાહલ થતો રહે છે.  રામનવમી, દશેરા, ઈદ કે ખ્રિસ્તીઓના ઉત્સવોમાં આવા કોલાહલ માટે જેટલું કહીએ તેટલું ઓછું છે.  બિચારા વિધાર્થીઓ આવા સમયે પોતાની દુર્દશાને બરાબર સમજે જાણે છે.  આ બધાં મળીને નગરજીવનના નરક જેવા અનુભવોની સૃષ્ટિ ઊભી કરે છે.

સમાજના શિક્ષિત વર્ગ અને શિક્ષણશાસ્ત્રીઓ પણ આ બાબતમાં પોતાને અસહાય અનુભવે છે.  સંભવતઃ શિક્ષણશાસ્ત્રીઓ પાસે અધિકાર નથી અને જેમની પાસે અધિકાર છે એમની પાસે વિવેકશક્તિનો અભાવ  છે.    અલબત્ત ધ્વનિ-પ્રદુષણમાંથી મુક્તિ મેળવવાનો એક જ ઉપાય છે અને તે છે, વિધાર્થીઓ પોતાના મનમાં અધ્યયન પ્રત્યે ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા વિકસિત કરે.  જો મનમાં આવી તીવ્ર વ્યાકુળતા હોય તો પછી બાહ્ય શોરબકોર ભાગ્યે જ કાને પડે.  ઉદાહરણ તરીકે જ્યારે આપણું મન કોઈ ચિંતામાં ઘેરાયેલું હોય ત્યારે આપણી નજીકમાં જ જોરથી વાગતા નગારાનો અવાજ પણ આપણને સંભળાતો નથી.  પરીક્ષા માથે આવે ત્યારે વ્યાકુળતા કે ઉત્કંઠાની ચરમસીમા પર આ બધું દેખાય છે, પરંતુ પરીક્ષા દૂર હોય છતાં પણ આપણે એમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવાની એક દ્રઢ આકાંક્ષા કેળવીએ તો આપણે અધ્યયનમાં એક પ્રકારની એકાગ્રતા વિકસિત કરી શકીએ ખરા.  સાથે ને સાથે એ પણ યાદ રાખવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિ માટે વાત-વાતમાં એકાગ્રતા કેળવી લેવી સમભાવ નથી.

૭]     એક બીજો ઉપાય પણ છે, એના દ્વારા અધ્યયનમાં એકાગ્રતા પ્રાપ્ત કરી શકાય છે.  તે છે અભ્યાસ વિષય પર સારી રીતે ધ્યાન આપવું.  આવી સતર્કતાને અવધાન કહે છે.  એનો અર્થ એ થયો કે મનને સદૈવ જાગરૂક રાખવું જોઈએ.  મોટા ભાગના વિધાર્થીઓ ધ્યાનપૂર્વક અધ્યયન કરવામાં અસમર્થ નીવડે છે.  એનું કારણ એ છે કે એમનું મન એક પ્રકારના દિવાસ્વપ્નમાં મચ્યું રહે છે, અથવા કોઈ પણ હેતુ વિના અહીંતહીં ભટકતું રહે છે.  જેમનું મન જાગ્રત છે કેવળ એવાં લોકો જ એકાગ્રતા કેદ્વામાં સફળ થઇ શકે છે.  આ બધું વાંચીને આપણા મનમાં આવો પ્રશ્ન ઊભો થઇ શકે; ‘તો પછી આ મનને કેવી રીતે જાગ્રત કે સચેત રાખી શકાય ?’  એના માટે કેટલાક ઉપયોગી ઉકેલ આ પ્રમાણે છે :

  • કેટલાક વિશેષ પ્રકારના ખાદ્યપદાર્થો ઊંઘ વધારી દે છે. આવા પદાર્થોનો ત્યાગ કરવો જોઈએ.
  • જ્યારે શરીરનાં ભિન્ન ભિન્ન અંગ સ્વચ્છ રહે ત્યારે મન સશક્ત બને. આ ઉપરાંત પહેરવાનાં વસ્ત્ર, પથારી જેવી દરરોજ ઉપયોગમાં આવતી બધી વસ્તુઓ સ્વચ્છ સુઘડ રહેવી જોઈએ.
  • ઓરડાની બીજી બધી વસ્તુઓ તથા દરરોજ ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓ સુવ્યવસ્થિત રૂપે રાખવી જોઈએ. આવી સુવ્યવ્સ્થાની કળા સબળ રૂપે મનની જાગ્રત અસ્થાને પ્રગટ કરે છે.  મોટા ભાગના વિધાર્થીઓમાં બેદરકારીનો ભાવ જોવા મળે છે.  એમની પોતાની વ્યક્તિગત ચીજવસ્તુઓ અને પુસ્તકોની અવ્યસ્થા જોઈને આપણે સરળતાથી એટલું સમજી શકીએ છીએ કે તેઓ કેત્લાબધા બેદરકાર છે !
  • વિધાર્થીઓ માટે જાણવા જેવી એકબીજી મહત્વપૂર્ણ વાત એ છે કે શરીરની જેમ મનને પણ સ્વચ્છ રાખવું આવશ્ય્ક્છે. અશ્લીલ અને અભદ્ર વિચારોને મનમાં પ્રવેશતાં રોકવા જોઈએ સાથે ને સાથે મનને એની હા પણ ન લાગે એ જોવું જોઈએ. એનું કારણ એ છે કે આવા વિચારો જ આપણા મનમાં વિનાશ નોતરવાનું અને તેણે બગાડવાનું મૂળભૂત કારણ છે.  જો મન તંદ્રામાં રહેલું હોય કે સ્વપ્ન પરાયણ હોય તો બહુ ચિંતા કરાની જરૂર નથી.  આમ છતાં પણ અશ્લીલતા અને અભદ્રતા જો એક્વાર મનમાં પ્રવેશી ગઈ તો પછી એકાગ્રતાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.  એક શુધ્ધ અને દોષરહિત મન સરળતાથી એકાગ્ર બની જાય છે.  એટલે જ ખરાબ અને દુષિત વિચારોને મનની પાસ્રે ફરકવા પણ ન દેવા જોઈએ.
  • વિધાર્થીઓએ મનમાં ને મનમાં આવો સંકલ્પ કરી લેવો જોઈએ : ‘હું એક ક્લાકમાં જ અભ્યાસ વિષયના આટલા ભાગનું સાંગોપાંગ અધ્યયન કરીશ.’  અને નિર્ધારિત સમય દરમ્યાન આ અંશનું અધ્યયન પૂરું કરવા માટે વિધાર્થીમાં ઉદ્વિગ્નતા હોવી જોઈએ.  સંભવ છે કે શરૂઆતમાં નિર્ધારિત સમયમાં ચોક્કસ વિષયવસ્તુનું અધ્યયન સમાપ્ત ન પણ થઇ શકે.  આમ છતાં આવા આકુળ પ્રયત્નોથી મનની જાગરૂક રહેવાની સંભાવના વધી જાય છે.  આવી રીતે મનને જાગ્રત રાખવાનો આવો નિરંતર પ્રયાસ ઠીક ઠીક પ્રમાણમાં મનની એકાગ્રતાને ઉન્નત કરવામાં ઉપયોગી નીવડે છે.
૮]     એકાગ્રતા વિકસિત કરવા ઇચ્છતા વિધાર્થીઓએ નિરર્થક ગપસપને ઝેર જેવી ગણીને ત્યજી દેવી જોઈએ.  આવા મિત્રો સાથે પાઠ્યક્રમના વિષયો પર ચર્ચા કરવાથી નિશ્ચિત રૂપે સહાયક નીવડે છે.  આપણી માનસિક ઊર્જાને મોટો અંશ નિરર્થક બકવાદોમાં નાશ પામે છે – આવી વાત આપણા પ્રાચીન યોગીઓ અને ઋષિઓએ શોધી કાઢી છે.  નિરર્થક બકવાદથી મનનો સયંમ અને વિચારની સાંકળ નાશ પામે છે.  એક દુર્બળ અને અસંબદ્ધ મન એકાગ્રતા માટે અયોગ્ય બની જાય છે.  દુર્બળ શરીર તથા દુર્બળ મનવાળા વ્યક્તિ માટે એકાગ્રતા એ ખાટી દ્રાક્ષ જેવી બની જાય છે.





(રા.જ. ૧૧-૧૨/૨૫-૨૭(૩૪૭-૪૯)


No comments:

Post a Comment