સુવિચારોની યાદી

૦૧.   બધી જ કલાઓમાં જીવન જીવવાની કલા બેસ્ટ છે સારી રીતે જીવી જાણે એ જ  સાચો કલાકાર





૦૨.  જયારે કંઈ ન હોય ત્યારે તમારું મેનેજમેન્ટ અને જયારે બધું જ હોય ત્યારે તમારું વર્તન તમારી સફળતાનો આયનો છે





૦૩.  બેઈમાની અને ચાલાકી વડે મેળવેલા વૈભવ નો રૂઆબ અને માનપાન રેતી ના દીવાલ જેવા હોય છે. જે થોડીક હવા ફુકાય તો જમીન દોસ્ત થઇ જાય છે.


૦૪.    કોઈ પણ હાલત માં પોતાની શક્તિ ઉપર અભિમાન ન કરવું જોઈએ, કારણ કે બહુ રૂપી આકાશ હર પળે હજારો રંગ બદલે છે.
                                                   ( જેવિન ઠુંમર )
૦૫.   અમીર હોવા છતાં પણ જેની ધનલાલસા ઓછી નથી થઇ તે હજુ ગરીબ છે.
૦૬.  માણસ અહમ માં અભિમાનથી કહે છે” હું મારા બાપનું પણ નથી સાંભળતો”….પણ માણસ એ છે કે, એ નાનામાં નાના માણસ અને દુશ્મનનું પણ સાંભળે છે અને  વિચારે છે અને સાચું જે હોય એને અપનાવે છે. અહમ માણસને પોતાના હિતેચ્છકનું પણ નથી સાંભળવાથી રોકે છે…. જો માણસ બનવું હોય તો અહમને જીવનમાંથી હાંકી કાઢો….
૦૭.  વધુ સારા થવાની ક્ષમતા દરેક માણસમાં હોય જ છે, પરંતુ સારા માણસ  થવા માટે તેમને ખુદનો સ્વાર્થ જ નડતો હોય છે.

૦૮.  અભિમાન  નરકનું  દ્ધાર  છે.

૦૯.  આ દુનિયા ની સૌથી મોટી તકલીફ એ છે કે લોકો સાચું મનમાં બોલે છે, અને… ખોટું બુમો પાડી ને બોલે છે…!!!

૧૦.  સત્ય અને અસત્યની ટક્કર પથ્થર અને માટીના ધડાની અથડામણ જેવી છે પથ્થર પર માટીનો ધડો પડે તો તે ફૂટી જાય છે અને પથ્થર ધડા પર પડે તો  પણ ધડો જ ફૂટે છે

૧૧. હંમેશા હસતા રહેવાથી, અને ખુશનુમા રહેવાથી; પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે.

૧૨.  સાચો અને જ્ઞાની માણસ દુ:ખ આવે ત્યારે એ કોઈનો વાંક નથી કાઢતો, બલકે, એ દુ:ખ આવવા પાછળ પોતાની કઈ ભૂલ છે એ શોધે છે.

૧૩.  જે છે તેનો આનંદ લેવો હોય તો જે નથી તેની ચિંતા છોડી દો.
                                        - હર્ષદ વી. કડવાણી
૧૪.  આનંદ એવી ચીજ છે જે તમારી પાસે હોવા છતાં તમો બીજાને આપો તેમાં    વધારે આનંદ આવે છે
૧૫.   આળસ કરનાર અને આરામ ઇચ્છનાર કદી પોતાની ઉન્નતિ ના કરી શકે .                                                                           - મુક્તા મેઘા
૧૬.  આળસ થી કટાઈ જવા કરતા મહેનત થી ઘસી જવું વધારે સારું……

૧૭. આળસુ માણસ હંમેશાં દેવાદાર બને છે અને બીજાને માટે ભારરૂપ રહે છે.

૧૮. પડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી.
                                    - સ્વ. ધીરુભાઈ અંબાની
૧૯.  જીવન એવું જીવજો કે દુશ્મન પણ તમારા મૃત્યુ પછી રોઈ પડે.
૨૦.  સંઘર્ષ કરતા રહો સફળતા જરૂર મળશે.
                                                       ~ હરિ પટેલ ~
૨૧.  જીત એ માણસને ક્યારેય મળતી નથી પણ તેને છીનવી લઇને હાસલ કરવામાં આવે છે.
૨૨.   જો સાચા છો તો તમારે ગુસ્સે થવાની જરૂર નથી, અને જો તમે ખોટા છો તો  તમને ગુસ્સે થવાનો કોઈ હક નથી…
૨૩.  સુખી થવા. આખી જિંદગી દુખી થાય એનુ નામ “માણસ”…
                                                         - હર્ષ ગદાણી
૨૪.   ત્રણ મિત્રો ધન, વિદ્યા અને વિશ્વાસ જંગલ માં જતા હતા. ફરતા-ફરતા ત્રણેય નો અલગ થવાનો સમય આવ્યો. ત્રણેય ફરી પાછા કઈ જગ્યાએ ભેગા થવુ તે અંગે ચચાઁ કરતા હતા.
ધન : હું ધનવાન અને રાજા મહેલો માં મળીશ.
વિદ્યા : હું મંદિર, મસ્જીદ માં મળીશ.
વિશ્વાસ : જો હું એક વાર જતો રહીસ તો ફરી પાછો ક્યારેય નઈ મળુ.
૨૫.  તમે જે સારું કાર્ય કરો છો તે ધર્મ છે. પણ તમે જેમાંથી સારું કાર્ય કરવાનું શીખો  છો તે ધર્મગ્રંથ છે.
૨૬.  સારા પુસ્તકો જેવા કોઈ કાયમી ના મિત્ર હોતા નથી………………
૨૭. શિક્ષણ સમૃદ્ધિનો પાયો છે…

૨૮ . પાનખર માં વસંત થવું મને ગમે છે,
યાદો ની વર્ષા માં ભીંજાવું મને ગમે છે,
 આંખ તો ભીની રેહવાની જીવનમાં,
 પણ બીજાને હસાવતા રેહવું મને ગમે છે.

૨૯.  હસમુખી વ્યક્તિ પોતાની કોશિશમાં ક્યારેય નાકામયાબ જતી નથી.

૩૦.  લાંબી આ સફર માં જીન્દગીના ઘણા રૂપ જોયા છે, તમે એકલા શાને રડો છો તો અમે ખોયા છે.

૩૧.  હજારો માણસો ઉપર શાસન કરવું સહેલું છે,પણ એકનું હૃદય જીતવું અધરું    છે.

૩૨.  નમ્રતા પત્થર હૃદયનાં માનવીને પણ પીગાળીદે છે.

૩૩.  બીજા માણસના હૃદયને જીતી લેનાર માણસ નસીબદાર ગણાય, પરંતુ જેણે પોતાની જાતને જીતી લીધી છે તેનાં જેવો ભાગ્યશાળી બીજો કોઈ નથી.

૩૪. તમારી ભૂલ બતાવવાવાળો તમારો પરમ મિત્ર છે.

૩૫. ઝેર પીતા વિચાર નહિ કરો તો ચાલશે પણ મિત્રતા બાંધતા સો વાર વિચાર     કરજો.

૩૬. તમારી આંખો જે વાંચી શકે એ જ તમારો સાચો મિત્ર છે.

૩૭. વ્યવહાર નથી બદલાતો સંજોગ બદલાય છે માણસ નથી બદલાતો તેનો  અભિગમ બદલાય છે સબંધોની કીમત ત્યારે જ સમજાય છે જયારે ભીડ વચે કોઈની ખોટ વર્તાય છે!

૩૮. સમય પર વિશ્વાસ રાખો. સમય કરતાં બીજો શાણો સલાહકાર બીજો કોઈ નથી.

૩૯.  દીકરો માં-બાપ ને સ્વર્ગમાં લઇ જાય. પણ સ્વર્ગ ને ઘરે લઇ આવે એનું નામ દીકરી.
                                                                                       - હરિ પટેલ

૪૦. 
૪૧.  ચોપડીઓ મગજમાં ભરવી એનું નામ વિધા નથી, ચોપડીઓનાં જ્ઞાનને  મગજમાં ઉતારવું એ જ સાચી વિધા છે.

૪૨. વિધા એ તો પુરુષની અનુપમ કીર્તિ છે.

૪૩. વિદ્યા વિનય આપે છે, વિનયથી યોગ્યતા પ્યાપ્ત થાય છે, યોગ્યતાથી ધન   મળે છે, ધનથી ધર્મની અને ધર્મથી સુખની પ્રાપ્તિ થાય છે.

૪૪. વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.

૪૫. વિદ્યા એક એવી વીંટી છે, જે વિનયના નંગ વડે જ દીપે છે.

૪૬. વિદ્યા પોતે જ એક શક્તિ છે.

૪૭. પોતાની નિષ્ફળતા માટે બીજાને કારણભૂત માનવા કરતા પોતાનામાં રહેલા   દોષોને સુધારવામાં આવે એમાં જ શાણપણ છે                                                                                                    ……………મુક્તા મેઘા
૪૮. ભરેલું ખિસ્સું તમને હજાર રીતે ગેરમાર્ગે લઇ જશે પણ ખાલી ખિસ્સું તમને જીંદગી ની હજાર વસ્તુ સમજાવશે ….. :)





૪૯.                                                                                                                      

૫૦.           

             





No comments:

Post a Comment